ભગવતીકુમાર શર્મા ~ઉઘાડાં દ્વાર છોડીને

🥀🥀

ઉઘાડાં દ્વાર છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ;
જગતથી મુખ મરોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

કિનારો હોય કે મઝધાર મારે શો ફરક પડશે ?
ડુબાડી જાતે હોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

હું માયામાં ઘણો જકડાયેલો છું, પણ વખત આવ્યે,
બધા તંતુઓ છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

~ ભગવતીકુમાર શર્મા (31.5.1934 – 5.9.2018)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *