ડો.મનોજ જોશી ‘મન’ ~નથી રોટલો કંઈ

🥀🥀

નથી રોટલો કંઈ આ બાએ ઘડેલો !
દિવસ છે ! ને એ પણ નસીબે ધરેલો !

તેં વિશ્વાસ કાનોનો જ્યારે કરેલો,
અમે એક સંદેશો આંખે લખેલો !

પછી હાથ વિફરી, ગમે તેને અડક્યા !
જરૂરી હતું ત્યારે, તું ના અડેલો !

ગમે તે ખસી જાય તો પણ પડું નહિ !
હું સંબંધથી નહિ ! સ્મરણથી બનેલો !

બધાંને પૂછું છું, તને પણ પુછી લઉં !
કે માણસ તને છેલ્લે ક્યારે મળેલો ?

ગઝલ માની એને બધાએ કહ્યું વાહ !
અમે એક કિસ્સો તમારો કહેલો !

~ ડૉ.મનોજ જોશી ‘મન’

બધા જ શેર મજાના અને કંઈક જુદું લઈને આવેલા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *