સુરેન્દ્ર કડિયા ~ ન એકો

ગઝલ-વેદ પંચમ

ન એકો, ન દ્વિતીયમ્, ન તૃતીયમ્-ચતુર્થમ્
ગહન ગેબ ગુંજે ગઝલ-વેદ પંચમ

શબદ-મોક્ષ, તર્પણ-વિધિ કેમ કરીએ !
અગોચર એ નદીઓ, અગોચર એ સંગમ

વિચારો છે કેવળ વિચરતાં સ્વરૂપો
પછી હોય ઉત્તમ, કનિષ્ઠમ્ કે મધ્યમ્

હથેળીમાં આકાશ મૂકી બતાવ્યું
છતાં લોક પૂછે છે સ્થાવર કે જંગમ

અમે એક મધપૂડો બાંધ્યો છે પગમાં
શું ગચ્છામિ શરણં, શું ગચ્છામિ ધમ્મમ્

~ સુરેન્દ્ર કડિયા

આટલા સંસ્કૃત શબ્દો સાથે આવી મજાની ગઝલ રચી શકાય ! વાહ…. એક તરફ પગમાં મધપૂડો બાંધ્યાની વાત, સંસારમાં અટવાયેલા રહેવાની વાત અને સાથે સાથે બુદ્ધમ શરણં ગચ્છામિનું અદભૂત અનુસંધાન….

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *