કૃષ્ણ દવે ~ જ્યારે બજરંગબલી જાગશે

જ્યારે બજરંગબલી જાગશે !

જ્યારે બજરંગબલી જાગશે !
લંકામાં આગ ફરી લાગશે,
જ્યારે બજરંગબલી જાગશે !
એક ગદામાં જુઠ્ઠાણું ભાંગશે,

જ્યારે બજરંગબલી જાગશે !

સેવા હનુમાન કરે એવું ઈચ્છો છો તો
પહેલા તો લઈ આવો રામ
ભાગેલી નહીં એ તો જાગેલી જીન્દગીના
દોડી દોડીને કરે કામ
ચરણરજ એની એ માથે ચડાવશે ને
બેસવાનું સામેથી માંગશે

જ્યારે બજરંગબલી જાગશે !

આ તો છે આખ્ખી’યે દુનીયાના દાદા ને
દાદાને સળીયું ના હોય
વિકૃતિ જન્મે જ્યાં એવા દિમાગની તો
સાફ સૂફી કરો ધોઈ ધોઈ
મંદિરને બદલે શોકેશ બની જાશે ત્યાં
જેને હનુમંતપણું ત્યાગશે

જ્યારે બજરંગબલી જાગશે !

~ કૃષ્ણ દવે

તા-31-8-2023

આજકાલ બે વિવાદો સૌની જીભે ચડ્યા છે. એકનું સમાધાન થયું છે. બીજું હજી ‘ધર્મ’ એટલે શું એ પ્રશ્નાર્થ પકડીને ઊભું છે. કોઈને ‘નાના’ બનાવવામાં ધર્મ તો નથી જ પણ આવી વૃત્તિ ક્ષુદ્રતાની પરાકાષ્ઠા છે.  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *