માધવ રામાનુજ ~સરજન કેવું

🥀🥀 

સરજન કેવું કર્યું !….
અહીંથી અનંત સુધી કણકણમાં-
લીલાવિશ્વ ભર્યું….

બ્રહ્માંડોના બ્રહ્માંડોમાં રેલાવ્યું અજવાળું,
અજવાળાની આરપાર પ્રસર્યું અંકાશ રૂપાળું-
પાર ન પામ્યું કોઈ આ બધું કેમ કરી અવતર્યું !
સરજન કેવું કર્યું !

એક એક આ પિંડે મૂકી એ જ બ્રહ્મની છાયા,
મનમાં મૂક્યું એ જ અકળ વિસ્મય ને એની માયા-
પાર ન પામ્યું કોઈ આ બધું કેમ કરી ઉતર્યું !
સરજન કેવું કર્યું !

અહીંથી અનંત સુધી કણકણમાં
લીલાવિશ્વ ભર્યું !

~ માધવ રામાનુજ

🥀🥀 

4 thoughts on “માધવ રામાનુજ ~સરજન કેવું”

  1. ઉમેશ જોષી

    બન્ને રચના સંવેદનશીલ..
    કવિને જન્મ દિવસની શુભેચ્છા.

  2. જીવનની જંજાળમાંથી છૂટવાની મથામણ કવિને છે. બંને રચના માં કવિની આંતરિક યાત્રાની વાત સુપેરે રજુ થઈ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *