એક તો આ જિંદગી ઓછી મળી,
એમાં જીવનભરની ખામોશી મળી.
ક્યાંક અમને વાર લાગી પહોંચતાં,
ક્યાંક અમને બાતમી ખોટી મળી.
એનું દિલ પથ્થર હશે નો’તી ખબર,
પણ હથેળી તો બહુ પોચી મળી !
પ્યાસ મારી ના બુઝી તે ના બુઝી,
આ નદી તો તીસરી ચોથી મળી !
ક્યાંક અમને ગમતો ચહેરો ના મળ્યો,
ક્યાંક તારી કારબન કોપી મળી !
નીકળ્યો’તો માણસોને શોધવા,
દાઢી, ચોટી ને તિલક, ટોપી મળી.
હું ખલીલ એવા સમયમાં છું હવે,
જ્યાં સદી કરતાંય ક્ષણ મોટી મળી.
~ ખલીલ ધનતેજવી (12.12.1935 – 4.4.2021)
ખલીલની સદાબહાર ગઝલો હંમેશ મુગ્ધ કરી દેતી હોય છે.
વંદન, ખલીલસાહેબને
ખલીલ સાહેબની ચારેય ગઝલો કાબિલેદાદ.કવિને વંદન.
વડોદરાની શાન સદ્ગત ખલિલ જીને સ્મૃતિ વંદન.
સાદર સ્મરણ વંદના..
તું પ્રથમ તારો જ માહિતગાર થઇ જા, એ પછી,
બાઇબલ, કુરઆન, ઉપનિષદ ખબર પડશે તને. વાહ!