ખૂણામાં ખાલી અરમાનો બળે છે
અમસ્તા જ આ લોકો ટોળે વળે છે
એમ તો ઘા પર રુઝ આવી ગઇ છે
એકાદ જખમ જીવનભર કળે છે
મેરુ ચળ્યાની વાત સાચી જ લાગે છે
એમનેમ કંઈ નિર્ધારો થોડા ચળે છે
મારે કદીય એકલા ક્યાં રહેવું પડે છે
આ પડછાયા આવી રોજ મને મળે છે.
એમણે મીઠાશ કદી છોડી જ કયાં છે
ભલે અંતે તો ખારા સાગર માં ભળે છે
~ અનિલ જોશી

અનિલભાઈ જોશીની કાવ્યયાત્રા નવા શિખર પર આરોહણ કરી રહી છે.
અનિલભાઈ જોશી ખરેખર કાવ્યનું કલ્પવૃક્ષ છે…
વાહ, સરસ રચનાઓ 👌👌
અનિલ જોશી અવારનવાર પોખાયેલા કવિ છે. બંને રચનાઓ એની સાહેદી પૂરે છે.ધન્યવાદ.
ખૂબ સરસ રચનાઓ, ગમી.