
🥀🥀
*મંગલ મંદિર*
મંગલ મંદિર ખોલો
દયામય ! મંગલ મંદિર ખોલો !
જીવન વન અતિ વેગે વટાવ્યું
દ્વાર ઉભો શિશુ ભોળો;
તિમિર ગયં ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લો, લો,
દયામય ! મંગલ મંદિર ખોલો !
નામ મધુર તવ રટ્યો નિરંતર
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો આ બાલક,
પ્રેમ અમીરસ ઢોળો,
દયામય ! મંગલ મંદિર ખોલો !
~ નરસિંહરાવ દિવેટીયા (3.9.1859 – 14.1.1937)
*****

બંને કાવ્યો રસર સૌને હૈયે વસેલાં છે. કવિને નમન.
બંને પ્રાર્થનામય રચનાઓ જ કવિ શ્રી ની ઓળખ બની ગઈ છે.