આંસુનો અનુવાદ કરી જો
દરિયામાં વરસાદ કરી જો !
ઘેરાયેલું વાદળ ખૂલશે,
ખુદ સાથે વિખવાદ કરી જો !
રણ-ડમરી વચ્ચે આંખોના
જળને ઝિન્દાબાદ કરી જો !
જન્મ પુષ્પનો મળ્યો તને તો,
ઝાકળથી સંવાદ કરી જો !
મળ્યું હતું તરબોળ પલળવા,
બંધ નયને યાદ કરી જો !
સરસ્વતીની પૂજામાંથી,
મુશાયરાને બાદ કરી જો
~ ભગવતીકુમાર શર્મા

બંને ગઝલો અપૂર્વ. અદ્ભુત. ભાવ અને વિચાર સંપદાથી શ્રેષ્ઠ.
બન્ને ગઝલ સંવેદનશીલ અને હ્રદયગમ્ય છે…
વાહ, ખૂબ જ સરસ બંને રચનાઓ.