ભગવતીકુમાર શર્મા ~ આંસુનો અનુવાદ

આંસુનો અનુવાદ કરી જો
દરિયામાં વરસાદ કરી જો !

ઘેરાયેલું વાદળ ખૂલશે,
ખુદ સાથે વિખવાદ કરી જો !

રણ-ડમરી વચ્ચે આંખોના   
જળને ઝિન્દાબાદ કરી જો !

જન્મ પુષ્પનો મળ્યો તને તો,
ઝાકળથી સંવાદ કરી જો !

મળ્યું હતું તરબોળ પલળવા,
બંધ નયને યાદ કરી જો  !

સરસ્વતીની પૂજામાંથી,
મુશાયરાને બાદ કરી જો

~ ભગવતીકુમાર શર્મા  

4 thoughts on “ભગવતીકુમાર શર્મા ~ આંસુનો અનુવાદ”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    બંને ગઝલો અપૂર્વ. અદ્ભુત. ભાવ અને વિચાર સંપદાથી શ્રેષ્ઠ.

  2. ઉમેશ જોષી

    બન્ને ગઝલ સંવેદનશીલ અને હ્રદયગમ્ય છે…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *