નાઝીર દેખૈયા ~ ખુશી દેજે જમાનાને * Nazir Dekhaiya  

ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે;
અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે.

સદાયે દુઃખમાં મલકે મને એવાં સ્વજન દેજે;
ખિઝાંમાં પણ ન કરમાયે મને એવાં સુમન દેજે.

જુદાઈ જિંદગીની, કાં જીવનભરનું મિલન દેજે;
મને તું બે મહીંથી એકનું સાચું વચન દેજે.

જમાનાનાં બધાં પુણ્યો જમાનાને મુબારક હો;
હું પરખું પાપને મારાં, મને એવાં નયન દેજે.

હું મુક્તિ કેરો ચાહક છું, મને બંધન નથી ગમતાં;
કમળ બીડાય તે પ્હેલાં ભ્રમરને ઉડ્ડયન દેજે.

સ્વમાની છું, કદી વિણ આવકારે ત્યાં નહીં આવું;
અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે.

ખુદાયા! આટલી તુજને વિનંતી છે આ ‘નાઝિર’ની;
રહે જેનાથી અણનમ શીશ, મુજને એ નમન દેજે.

~  નાઝિર દેખૈયા 13.2.1921 – 16.3.1988

કવિ નાઝીર દેખૈયાનો જન્મદિવસ. એમના આત્માને વંદન સહ એમની ખૂબ જાણીતી રચના અહીં માણો.

6 Responses

  1. વાહ, મારી ખૂબ જ ગમતી ગઝલ. શાયર નાઝિર જીને સ્મૃતિ વંદન.

  2. Minal Oza says:

    કેટલીક ખૂબ જાણીતી ગઝલમાંની આ એક.

  3. ઉમેશ જોષી says:

    સાદર સ્મરણ વંદના.

  4. સ્મ્રુતિવંદન ખુબ સરસ રચના

  5. Anonymous says:

    Superb 👌

  6. Anonymous says:

    Superb

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: