આતિશ પાલનપુરી ~ જે થવાનું થૈ ગયું છે * Aatish Palanpuri
જે થવાનું થૈ ગયું છે, થાય શું !
ને હવે એના ગયાની લ્હાય શું !
એમણે દીધું અમોને કૈં ઘણું,
ખોબલામાં માય તોયે માય શું !
જીવ લેશે જે અમારો એક દિન,
એ ફરેબી જિંદગીની હાય શું !
જે અહમ્ ની આગ ખુદ પીધા કરે,
એ અમોને પાય તોયે પાય શું !
સાવ ખાલી હાથ ‘આતિશ’ જન્મવું,
કોઈ પણ લૈ જાય તો લૈ જાય શું !
~ આતિશ પાલનપુરી
કવિને જન્મદિને સ્મૃતિવંદના
સાદા શબ્દોમાં સરસ ગઝલ, સ્મૃતિ વંદન.