અશોકપુરી ગોસ્વામી ~ સમંદર ના થયો

સમંદર ના થયો મીઠ્ઠો કદીએ

સમંદર ના થયો મીઠ્ઠો કદીએ,
વલણ બદલ્યું નહીં તો પણ નદીએ.

અમે વરસાદ ઝીલ્યો એકચિત્તે,
ન સંઘર્યું કૈં જ કાણી બાલદીએ.

રહ્યો સીધો સરળ જણ છેક સુધી
અહીંયા થાપ ખાધી મુત્સદ્દીએ.

બને ઇતિહાસ એવી ખૂબ જરૂરી
ક્ષણોને સાચવી લીધી સદીએ.

બધું વ્યય થઈને; શું બાકી રહ્યું આ !
સતત મૂંઝવ્યો મને વધતી વદીએ.

~ અશોકપુરી ગોસ્વામી

એકેએક શેર અદભૂત                                        

4 thoughts on “અશોકપુરી ગોસ્વામી ~ સમંદર ના થયો”

  1. બંને ગઝલ અનૂઠી બની છે. અભિનંદન.

  2. પારૂલ મહેતા

    કવિશ્રીને અભિનંદન અને વંદન.
    વધતી વદ્દી…
    તારો લિસોટો થયો…
    વાહ!

  3. હરીશ દાસાણી.મુંબઈ

    બંને રચનાઓ દિલ જીતી લે એવી થઈ છે. અશોકપુરી ગદ્ય અને પદ્ય બંનેમાં મેદાન મારી જાય છે. સમર્થ સાહિત્યકારને વંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *