હામ મૂક્યે શું થાયે?
હામ મૂક્યે શું થાયે?
અધવચ હામ મૂક્યે શું થાયે?
વીલે મુખે પાછા ફરવું કે તરી જવું તે પારે;
ઠામ નહિ કૈં પગ ટેકવવા મળે અહીં મઝધારે.
વળતાં પાણીથી શીદ હઠીએ? નિશ્ચય પાછળ ભરતી;
લંગર નાખી આજ અટક્યા તો ગતિ અનુકૂળ વળતી.
નિશા-નિરાશા ટળશે કાળી, ઊજળી ઉષા ઊગશે;
આજ ડૂબ્યો સવિતા તે શું નહિ કાલ પ્રભાતે ઊગશે?
~ કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા (7.11.1890-11.7.1973)
કવિને જન્મદિને સ્મૃતિવંદના
