કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા ~ હામ મૂક્યે શું થાયે?

હામ મૂક્યે શું થાયે?

હામ મૂક્યે શું થાયે?
અધવચ હામ મૂક્યે શું થાયે?

વીલે મુખે પાછા ફરવું કે તરી જવું તે પારે;
ઠામ નહિ કૈં પગ ટેકવવા મળે અહીં મઝધારે.

વળતાં પાણીથી શીદ હઠીએ? નિશ્ચય પાછળ ભરતી;
લંગર નાખી આજ અટક્યા તો ગતિ અનુકૂળ વળતી.

નિશા-નિરાશા ટળશે કાળી, ઊજળી ઉષા ઊગશે;
આજ ડૂબ્યો સવિતા તે શું નહિ કાલ પ્રભાતે ઊગશે?

~ કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા (7.11.1890-11.7.1973)

કવિને જન્મદિને સ્મૃતિવંદના

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *