🥀🥀
ભીંતમાં રસ્તા નીકળતા હોય છે
આ અવસ્થા કઈ અવસ્થા હોય છે?
ખોટું સાચું કઈ રીતે નક્કી થશે?
સહુને પોતામાં જ શ્રદ્ધા હોય છે.
દોસ્તોમાંથી ઘણું મળશે તને,
દુશ્મનોનાં ઘાવ અમથા હોય છે.
આપણે કયાં કંઈ કરી શકીએ છીએ?
જાતની સામે જ મ્હોરાં હોય છે.
આભ જેવું આભ કાં ઓછું પડે?
પંખીને શેની સમસ્યા હોય છે?
~ એસ. એસ. રાહી (28.12.1952)

સુંદર ગઝલ
वाह वाह
Vaaah સાહેબ.. ખૂબ સરસ ગઝલ 🙏🙏🙏🙏