ધાર્મિક કોટક ‘ગોપાલ’ ~ ખીણના સૌંદર્યને

ખીણના સૌંદર્યને

ખીણના સૌંદર્યને પામી જવું,
એટલે કે દોસ્ત પડઘો થઈ જવું.

અર્થ એવો પણ નશાનો થાય નહીં,
જે મળે માદક એ સઘળું પી જવું.

જીવવું એ તો સજીવી ધર્મ છે,
માનવીનું કર્મ છે જીવી જવું.

નામથી જો માત્ર તરવું હોય તો,
છે જરૂરી નામમાં ડૂબી જવું.

સુખ અને દુઃખ તો કથાનક કાળના
મૂળ તો એની કથા વીતી જવું.

~ ધાર્મિક કોટક ‘ગોપાલ’

પ્રથમ શેરથી જ ગઝલ સીધી ઊંચકાય છે….  
બધા જ શેર સુંદર …. અને ચોથો શેર વધુ ગમ્યો…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *