કૃષ્ણલાલ શ્રીધરાણી ~ નીંદરના બારણાં

રાતના અવાજો

નીંદરનાં બારણાં ખોલવાને કા૨ણે
પાંપણોને પોરવી તાળાં દીધાં:
શાંતિની જીભ શા રાતના અવાજે
અંધાર વંડીએથી ડોકિયાં કીધાં,

જોયો કો જમ ને કોળીનું કૂતરું
કૂવા કને જઈ ભસતું જતું,
હાથમાં મિલાવી હાથ કુમળા પ્રકારના
મેડી નીચે કોઈ હસતું હતું.

જેલની દીવાલ પે આલબેલ ગાજતા
અંદરના ‘ઓહ!’ સો મૂંગા રહ્યા;
ઘૂવડની ઘૂકમાં કકળ્યાં પારેવડાં
કબરોમાં કોઈ પેર આવ્યાં, ગયાં.

ગાડામાં એકલો વાસળી વગાડતો
બેકલ થવાની હોંશ ગાતો જતો;
ચીલાએ જીરવ્યા આવા અનેકને
એટલે ‘કરરડકટટ” બળખો થતો.

રોવું, રાજી થવું, હસવું કે ભૂલવું ?
સમજી શકું ન હું ને પાસાં પડું
દિનભર સૂતેલ દિલ આળસ મરડી
પોપચાંને તંબૂને થતું ખડું.   

~ કૃષ્ણલાલ શ્રીધરાણી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *