દર્શક આચાર્ય ~ કમળને અમે

🌸

*કાગળે ચીતરેલાં*

કમળને અમે કાગળે ચીતરેલાં,
પછીથી ભ્રમર જેમ એમાં ફસેલા.

બધી વાત પૂરી કરો એ પહેલાં,
પરત આપી દો પત્ર તમને લખેલા.

ચહેરા ઉપરથી જ સમજાઈ જાશું,
અમે એક બાળક સમા સાવ સહેલા.

હતાં વાદળાં ખૂબ સમજુ ને ડાહ્યાં,
થયાં છે પવનના પ્રભાવે જ ઘેલાં.

રહ્યા છે હવે માત્ર કંકુના થાપા,
કદી આપણે જેમાં ઘરઘર રમેલા.

~ દર્શક આચાર્ય

મુગ્ધ ભાવમાં કિશોરવય વીતે તો ચાલે, યુવાની પણ અમુક અંશે ચાલી જાય પણ ઘણા લોકો ઉમરભર સ્વ મુગ્ધતામાંથી બહાર જ નથી નીકળી શકતા. આત્મગાન ગાવાની એવી તો ટેવ પડી ગઈ હોય છે કે એ સિવાયની દુનિયા એમને માટે કાંકરો…. મત્લાનો શેર આવી સરસ વાત લઈને આરંભ કરે છે. તો આ શેર ‘હતાં વાદળાં ખૂબ સમજુ ને ડાહ્યાં, થયાં છે પવનના પ્રભાવે જ ઘેલાં.’ પ્રકૃતિનો નિયમ કાવ્યની ભાષામાં કેટલી સુંદરતાથી વ્યક્ત થયો છે. ચારેય શેરની દુનિયાથી સાવ અલગ વસેલો ઉદાસ એવો… છેલ્લો….

9 thoughts on “દર્શક આચાર્ય ~ કમળને અમે”

  1. હતાં વાદળાં ખૂબ સમજુ ને ડાહ્યાં,
    થયાં છે પવનના પ્રભાવે જ ઘેલાં. સરસ કલ્પન…

  2. હરીશ દાસાણી.મુંબઈ

    દર્શક આચાર્ય પિતા રમેશભાઇ આચાર્યની અછાંદસ કવિતાઓથી અલગ મુદ્રા લઈને ગઝલના શેરમાં જબરદસ્ત કૌવત દાખવે છે. અભિનંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *