હર્ષદ ચંદારાણા ~ છોડ ચિંતનની નાવ

કાગળમાં

છોડ ચિંતનની નાવ કાગળમાં
છે છલોછલ તળાવ કાગળમાં

સાત સાગર તરું સરળતાથી
ડૂબવાનો સ્વભાવ કાગળમાં

હું ઉપાડું કલમ, પછી મારા
ભાવ તેમજ અભાવ કાગળમાં

મારા મનને મળ્યો અરીસો આ
હૂબહૂ હાવભાવ કાગળમાં

આ અહીં મારી સ્વપ્નભૂમિ છે
તેથી નાંખ્યો પડાવ કાગળમાં

તારું એકાંત રાખ તું અંગત
ઢોળી દે શાહી, લાવ કાગળમાં

~ હર્ષદ ચંદારાણા (26.1.1947 – 16.6.2024)

5 thoughts on “હર્ષદ ચંદારાણા ~ છોડ ચિંતનની નાવ”

  1. ઉમેશ જોષી

    અમારાં અમરેલીના પ્રેમાળ કવિ હર્ષદભાઈ ચંદારાણાની દિવ્ય ચેતનાને વંદના..

  2. ધ્રુવ પંક્તિનું આવર્તન ભાવને દૃઢ બનાવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *