🥀 🥀
સુખ અને દુઃખ બેયથી જો પર થવાશે.
એ પછી આનંદ આઠે પ્હોર થાશે.
જો મળે પથરાળ પથ તો જળ વિચારે,
આ બહાને, આજ થોડું ખળખળાશે.
પૂર્ણ શ્રદ્ધા જો પ્રતીક્ષામાં હશે તો,
રામને પણ આંગણે લાવી શકાશે.
જિંદગી ભરપૂર જીવી લે પળેપળ,
મોત પાસે ના પછી મુદ્દત મંગાશે.
તું પીડા સાથે પ્રથમ કેળવ ઘરોબો,
એ પછી જોજે ગઝલ સુંદર લખાશે.
~ કિશોર બારોટ
