કિશોર બારોટ ~ સુખ અને દુ:ખ

🥀 🥀

સુખ અને દુઃખ બેયથી જો પર થવાશે.
એ પછી આનંદ આઠે પ્હોર થાશે.

જો મળે પથરાળ પથ તો જળ વિચારે,
આ બહાને, આજ થોડું ખળખળાશે.

પૂર્ણ શ્રદ્ધા જો પ્રતીક્ષામાં હશે તો,
રામને પણ આંગણે લાવી શકાશે.

જિંદગી ભરપૂર જીવી લે પળેપળ,
મોત પાસે ના પછી મુદ્દત મંગાશે.

તું પીડા સાથે પ્રથમ કેળવ ઘરોબો,
એ પછી જોજે ગઝલ સુંદર લખાશે.

~ કિશોર બારોટ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *