કિશોર બારોટ ~તિખારા સતત

🥀 🥀

તિખારા સતત ‘હું’ને ‘તું’ના થયાં છે,
બચે કેમ ઘર ? જે રૂના થયાં છે.

ન અંધારપૂજકને દીવો બતાવો,
પૂછો હાલ કેવાં ઈશુના થયાં છે ?

સંબંધોમાં ત્યારે જ મીઠાશ આવી,
તમેમાંથી જ્યારે તે ‘તું’ના થયાં છે.

તમારા જવાથી ફરક એ પડ્યો છે,
બે ખાબોચિયાં આજ ધૂના થયાં છે.

બજારે ને ઘરમાં બદલતું ચલણ છે,
થયા રદ્દ સિક્કા જે જુના થયાં છે.

ગઝલમાં મેં ગૂંથી કરી વ્યક્ત પીડા,
તો ઝળહળ દીવા આબરૂનાં થયાં છે.

~ કિશોર બારોટ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *