સંદીપ પૂજારા ~ખાલી ખિસ્સું

*કારણ છે*

ખાલી ખિસ્સું જ એનું કારણ છે!
બીજું ઈચ્છાનું તો શું મારણ છે!

હસ્તગત હોય ભૂલવાની કળા,
એ જ દુઃખનું ખરું નિવારણ છે!

દરિયા જેવું કશું જ ક્યાંય નથી!
માણસે માણસે જુદા રણ છે!

જેનું કોઈ નથી એ જાણી શકે,
ખાલીપાનું વધારે ભારણ છે!

વ્યર્થ ક્યાં હોય કોઈ નિષ્ફળતા,
એ સફળતાનું એક બિયારણ છે!

કોઈનું આંસુ જો લુછે કોઈ ,
સ્વર્ગથી એ સીધું પ્રસારણ છે!

ખુબસુરત હતું જીવન આખું,
મોત વેળાનું સૌનું તારણ છે!

~ સંદીપ પૂજારા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *