કિશોર શાહ ~ મેં છત્રીને પૂછ્યું

છત્રી

મેં છત્રીને પૂછ્યું

‘તારી નિયતિ શું?’

‘ખૂલવું-બંધ થવું, પલળવું-સુકાવું’

મલકાઈને એ બોલી

અને માળિયાના કોઈક ખૂણે પડી રહેવું.’

મેં પૂછ્યું:

‘તને સંતોષ છે?’

એણે કહ્યું ‘હા’

મેં પૂછ્યું: ‘કેમ?’

એણે શરમાતાં શરમાતાં કહ્યું:

‘આકાશને ઝીલવાનો રોમાંચ

તમે પુરુષો ક્યારેય નહીં સમજી શકો.’

~ કિશોર શાહ (27.12.1847)

કિશોર શાહ મૂળ કચ્છના બેરાજા ગામના. જન્મ અને વસવાટ મુંબઈ.

કાવ્યાનુવાદ પ્રવૃત્તિપ્રેમી.

કાવ્યસંગ્રહ : ‘એશ ટ્રેમાં આથમતો સૂર્ય’

રજનીશજીના પુસ્તક ‘જળ પર હસ્તાક્ષર’નો અનુવાદ કર્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *