‘અગમ’ પાલનપુરી ~ શબ્દ ભીતર

અગમ અવતાર છે

શબ્દ ભીતર પ્રાણનો સંચાર છે;
હર ગઝલ મારો અગમ અવતાર છે.

એટલે નિત શેર શ્વસતો હોઉં છું,
શ્વાસ મુજ અસ્તિત્વનો આધાર છે!

ના લખું તે હાથ છો તૂટી પડે;
જ્યાં ખતા છે ત્યાં સજા હકદાર છે!

મૃત્યુની પણ હું કરી નાખું ગઝલ;
ક્ષણ સતત… કાગળ-કલમ તૈયાર છે.

છું ‘અગમ’ તો શું થયું; મારા વિશે
શાયરી પોતે પરખનો પાર છે!

~ અગમ’ પાલનપુરી

‘કાગળ-કલમ તૈયાર છે’ લખનાર અગમ કવિને ગઝલની ઊંડાઈ માપવી છે…. અગમનો પાર પામવો છે….

જન્મદિને કવિને વંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *