ન્હાનાલાલ કવિ ~ આભમાં તોરણ બંધાણા : ગાર્ગી વોરા અને હિમાલી વ્યાસ નાયકનાં સ્વરમાં

કે આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે

તારલીઓ ટોળે વળી નભચોક!

કે આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે

કે ચંદનીએ વેરેલ તેજનાં ફૂલડાં રે

કે ફૂલડાંની ફોરમ ઝીલે નરલોક:

કે આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે

કે વ્હાલમની વિલસે વ્હાલપની આંખડી રે

કે એહવું વિલસે ચન્દ્ર કેરું નેણ:

કે આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે

 કે કિરણે કિરણે અમૃત દેવનાં રે

કે એહ જળે હું ય ભરું હૈયાહેલ;

કે આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે

~ કવિ ન્હાનાલાલ

કવિનો આજે જન્મદિવસ. એમની ચેતનાને વંદન.

કાવ્ય : કવિ ન્હાનાલાલ * સ્વરકાર : અમર ભટ્ટ * સ્વર : ગાર્ગી વોરા અને હિમાલી વ્યાસ નાયક

સૌજન્ય : કાવ્યસંગીત: મનનો રવિવાર ને એકાન્તનો શણગાર

2 Responses

  1. ખુબ સરસ મજાની રચના અને ગાયન પણ ખુબ માણવા લાયક અભિનંદન

  2. રન્નાદે શાહ says:

    વાહ…કવિની અદ્ભુત ગીતરચના..સુન્દર સ્વરગૂથણી ને ગાર્ગી બિમારીના મધુર કંઠ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: