કેશવરામ હરિરામ ભટ્ટ ~ હરી સંભાળજો રે
મારી નાડ તમારે હાથે હરી સંભાળજો રે
પ્યારા પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે ……….
પથ્યાપથ્ય નથી સમજાતું, દુખ સદૈવ રહે ઉભરાતું
મને હશે શું થાતું, નાથ નિહાળજો રે….
અનાદિ વૈદ્ય આપ છો સાચા, કોઈ ઉપાય વિષે નહીં કાચા
દિવસ રહ્યા છે ટાંચા, વેળા વાળજો રે…..
વિશ્વેશ્વર શું હજી વિચારો, બાજી હાથ છતાં કાં હારો ?
મહા મુંઝારો મારો નટવર ટાળજો રે…….
કેશવ હરિ મારું શું થાશે ? ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે ?
લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે ……….
~ કેશવરામ હરિરામ ભટ્ટ (1851- )
ઘણું જૂનું અને ખૂબ જાણીતું આ ભજન
સ્વર : રાજુલ મહેતા * સંગીત : સુરેશકુમાર
પ્રતિભાવો