કવિ નર્મદ * Narmad

નવ કરશો કોઈ શોક રસિકડાં, નવ કરશો કોઈ શોક,
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી. રસિકડાં…

પ્રેમી અંશને રુદન આવશે શઠ હરખાશે મનથી. રસિકડાં…
મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી. રસિકડાં…

એક પીડમાં બીજી ચીડથી, જળશે જીવ અગનથી. રસિકડાં…
હતો દૂખિયો થયો સુખિયો, સમજો છૂટ્યો રણથી. રસિકડાં…

મુઓ હું તમે પણ વળી મરશો મુક્ત થશો જગતથી. રસિકડાં…
હરિકૃપાથી મમ લેખચિત્રથી, જીવતો છઉં હું દમથી. રસિકડાં…

વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી. રસિકડાં…
જુદાઈ દુ:ખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી. રસિકડાં…

મરણ પ્રેમીને ખચિત મોડું છે, દુ:ખ વધે જ રુદનથી. રસિકડાં…
જગતનીમ છે જનમ મરણનો દ્રઢ રહેજો હિંમતથી. રસિકડાં…

મને વિસારી રામ સમરજો, સુખી થશો એ લતથી. રસિકડાં…

~ નર્મદ

કવિ નર્મદની આજે પૂણ્યતિથિ. આ જોસ્સાદાર કવિને સ્મૃતિવંદના

2 Responses

  1. કવિ શ્રી નર્મદ ની ચેતના ને પ્રણામ માત્રુભાષા ના વિકાસ માટે જેણે પોતાની જાત ઘસી નાખી અેવા કવિ શ્રી ની ઉત્કૃષ્ટ રચના

  2. કવિ નર્મદની પૂણ્યતિથિએ સ્મૃતિ વંદન.
    “વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: