પ્રિયકાંત મણિયાર ~ એકલી ઊભી * Priyakant Maniyar

એકલી ઊભી જમનાજીને ઘાટ
નીરખી રહી નીરમાં કાંઈ, ભરતી નહીં માટ
!

ક્યાંક બેઠેલો કદંબ-ડાળે
કાનજી ઝૂક્યો જળની પાળે
એની તરતી છબિ સરકી આવી જળના વ્હેણની વાટ !
એકલી ઊભી જમનાજીને ઘાટ….

કરથી સાહી કેમ તે ધારું ?
ઘટની માંહે કેમ હું સારું ?
અવરને દેખાય ન કાંઈ કોણને કહું ઉચાટ ?

એકલી ઊભી જમનાજીને ઘાટ
નીરખી રહી નીરમાં કાંઈ, ભરતી નહીં માટ !

~ પ્રિયકાંત મણિયાર

આ ગીતમાં ઘણા અર્થો સમાયેલા છે. જે સીધી તારવી શકાય એ વાત…. 

ગોપી જળ ભરવા જાય અને એને થયેલી અવઢવ કવિએ વર્ણવી છે. જમુનાજળમાં કદંબડાળે બેઠેલા નટખટ કાનુડાનું પ્રતિબિંબ પડે છે. ગોપી સ્વાભાવિક જ એ જોવામાં લીન થઈ જાય છે. જો ઘટને જળમાં ડૂબાવે તો પાણીમાં પ્રતિબિંબ ન રહે ! કાનુડાને જોવો કે જળ ભરવું ? જીત તો પ્રેમની જ થાય ! 

3 Responses

  1. Varij Luhar says:

    એકલી ઊભી જમનાજીને ઘાટ… વાહ..

  2. સરસ ગીત અેકલી ઉભી જમનાજી ને ઘાટ અભિનંદન

  3. ખૂબ સરસ ગીત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: