જયંતિલાલ દવે ‘વિશ્વરથ’ ~ નીંભાડો ખડકાણો

નીંભાડો ખડકાણો મારા નાથનો, માંહીં ઓરાણાં તમામ 

નાનાં ને મોટાં, નીચે-ઉપરે, ઠાંસીને ભરિયાં છે ઠામ.

લાગી રે લાગી આ ઝાળું આગની, એના તમે કરી લ્યોને સંગ;

ચારે રે દિશાથી તાપને નોતરો, જોજો એક્કે કાચું રહે નહિ અંગ….

આયખું ઉજાળો તપીને ટેકથી, જોજો ભાઈ, ખૂટી નવ જાય હામ !

ફૂટયાં તે દી કહેવાશે ઠીંકરાં, કોઈ નહિ કહેશે તમને ઠામ.

નીંભાડો ઉખાળી લેશે પારખાં, છાપ દેશે છાતીને મોઝાર;

ઝીલીને રૂદિયામાં એની છાપને, પહોંચવું દુનિયાને દુવાર.

કાળે રે ઉનાળે તરસ્યું ટાળવી, શોષી સઘળા તાપ;

ભીતરની ભીનાશું, ભાઈ, નવ મૂકવી; પડે ભલે તડકા અમાપ…

~ જયંતિલાલ દવે ‘વિશ્વરથ’ (30.12.1910-5.1.1990)

કવિના કાવ્યસંગ્રહો 1. સંજીવની 2. મલયાનિલ 3. પ્રેરણાના પુષ્પો

કવિના જન્મદિને સ્મૃતિવંદના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: