મણિલાલ દેસાઈ ~ સરકી જાયે પલ
સરકી જાયે પલ…
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ !
નહીં વર્ષામાં પૂર,
નહીં ગ્રીષ્મ મહીં શોષાય,
કોઈના સંગનિ:સગની એને
કશી અસર નવ થાય,
ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ !
છલક છલક છલકાય
છતાં યે કદી શકી નવ ઢળી,
વૃન્દાવનમાં,
વળી કોઈને કુરુક્ષેત્રમાં મળી,
જાય તેડી પોઢેલાંને યે નવે લોક, નવ સ્થલ !
– મણિલાલ દેસાઈ
આજે ઊર્મિકવિ મણિલાલ દેસાઇનો જન્મદિવસ
સાંભળો કવિનું આ ચિરસ્મરણીય ગીત
19.7.21
કાવ્ય : મણિલાલ દેસાઇ સંગીત : અજિત શેઠ સ્વર : હરીહરન
***
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
19-07-2021
ખૂબ જ સરસ ગીત, હરિહરણ જી ગાયું એ એકદમ ભાવનારુપ.
Sarla Sutaria
19-07-2021
ખૂબ સુંદર ઊર્મિ કાવ્ય. કવિશ્રીને જન્મદિવસની અઢળક શુભકામનાઓ ???
છબીલભાઈ ત્રિવેદી
19-07-2021
આજનુ મણીલાલ દેસાઈ નુ કાવ્ય ખુબજ ગમ્યું આજે કવિ નો જન્મદિવસ છે તો તેની વધાઈ ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન
પ્રતિભાવો