જિજ્ઞા ત્રિવેદી ~ ફકત એ વાતને Jigna Trivedi
ફકત એ વાતને કોઈ સમજનારા નથી હોતા,
જીવનના માર્ગ પર ચોમેર અંધારા નથી હોતા.
નજરનો દોષ છે તેથી નથી સૌંદર્ય દેખાતું,
નથી એકેય એવા દૃશ્ય જે સારા નથી હોતા.
અગર આ શ્વાસ દાઝે તો હવાનો વાંક ના કાઢો,
વહેતી ખૂશ્બુના રસ્તે જ અંગારા નથી હોતા.
અનોખા રૂપની સાથે અનોખા રંગ છે સૌના,
વિકસવા ફૂલને માટે કશા ધારા નથી હોતા.
કરે છે આવ – જા ફળિયે હંમેશા કેટલા પગલાં,
છતાં પ્રત્યેક પગરવ દોસ્ત, ભણકારા નથી હોતા.
~ જિજ્ઞા ત્રિવેદી
સરસ કાવ્યો લખનાર સ્ત્રી સર્જકો ઓછાં છે, એમાંના એક જિજ્ઞા ત્રિવેદી. આખી ગઝલ પોઝિટિવિટીથી ભરેલી છે…. અને આ છેલ્લી પંક્તિ, ‘પ્રત્યેક પગરવ દોસ્ત, ભણકારા નથી હોતા.’ વિશેષ ગમી.
31.12.21
આભાર
01-01-2022
આભાર છબીલભાઈ, મેવાડાજી અને દીવાબેન
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ કાવ્યપ્રેમીઓનો આભાર.
સાજ મેવાડા
31-12-2021
ગઝલ્માં પોસીટીવીટી/સકારાક્મતા લાવવી ઘણું અઘરું છે, પણ કવિયત્રીએ સુપેરે કર્યું છે, લતાજીની નોંધ યોગ્ય છે.
Diwa Bhatt
31-12-2021
બહુ સરસ ગઝલ છે. આખી રચનાની ચાવી પહેલી જ લીટી મા છે.
છબીલભાઈ ત્રિવેદી
31-12-2021
આજની જીજ્ઞાબહેન ની રચના ખુબ ગમી જીવન મા હકારાત્મક અભિગમ રાખવા થી જીવન સરળ બની જાય છે બધા શેર સારા છેલ્લો શેર ખુબ ઉત્તમ ખુબ અભિનંદન
પ્રતિભાવો