જિજ્ઞા ત્રિવેદી ~ ફકત એ વાતને Jigna Trivedi 

ફકત એ વાતને કોઈ સમજનારા નથી હોતા,

જીવનના માર્ગ પર ચોમેર અંધારા નથી હોતા.

નજરનો દોષ છે તેથી નથી સૌંદર્ય દેખાતું,

નથી એકેય એવા દૃશ્ય જે સારા નથી હોતા.

અગર આ શ્વાસ દાઝે તો હવાનો વાંક ના કાઢો,

વહેતી ખૂશ્બુના રસ્તે જ અંગારા નથી હોતા.

અનોખા રૂપની સાથે અનોખા રંગ છે સૌના,

વિકસવા ફૂલને માટે કશા ધારા નથી હોતા.

કરે છે આવ – જા ફળિયે હંમેશા કેટલા પગલાં,

છતાં પ્રત્યેક પગરવ દોસ્ત, ભણકારા નથી હોતા.

~ જિજ્ઞા ત્રિવેદી

સરસ કાવ્યો લખનાર સ્ત્રી સર્જકો ઓછાં છે, એમાંના એક જિજ્ઞા ત્રિવેદી. આખી ગઝલ પોઝિટિવિટીથી ભરેલી છે…. અને આ છેલ્લી પંક્તિ, ‘પ્રત્યેક પગરવ દોસ્ત, ભણકારા નથી હોતા.’ વિશેષ ગમી.

31.12.21

આભાર

01-01-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી અને દીવાબેન

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ કાવ્યપ્રેમીઓનો આભાર.

સાજ મેવાડા

31-12-2021

ગઝલ્માં પોસીટીવીટી/સકારાક્મતા લાવવી ઘણું અઘરું છે, પણ કવિયત્રીએ સુપેરે કર્યું છે, લતાજીની નોંધ યોગ્ય છે.

Diwa Bhatt

31-12-2021

બહુ સરસ ગઝલ છે. આખી રચનાની ચાવી પહેલી જ લીટી મા છે.

છબીલભાઈ ત્રિવેદી

31-12-2021

આજની જીજ્ઞાબહેન ની રચના ખુબ ગમી જીવન મા હકારાત્મક અભિગમ રાખવા થી જીવન સરળ બની જાય છે બધા શેર સારા છેલ્લો શેર ખુબ ઉત્તમ ખુબ અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: