પુરુરાજ જોશી

કવિ પુરુરાજ જોશી

જન્મ : 14  ડિસેમ્બર 1938, નડિયાદ

માતા – સૂરજબા; પિતા- પૂનમભાઇ

પત્ની – બકુલા ( લગ્ન – 1966, હિન્દીનાં અધ્યાપિકા)

અવસાન : 12.12.2020

  • પ્રારંભમાં શિક્ષક અને ગુજરાત રાજ્યના માહિતીખાતામાં ઉપતંત્રી 
  •  1970-75  મહુધા/ બાલાશિનોરની કોલેજમાં અધ્યાપક
  • 1975થી – સાવલી કોલેજમાં અધ્યાપક હતા
  • અભ્યાસકાળ દરમિયાન મુન્શી અને ધૂમકેતુની નવલકથાઓનો ઘણો પ્રભાવ
  • સર્વપ્રથમ મૌલિક કૃતિ – ‘સોનેરી માછલીનો સળવળાટ’
  • આરંભમાં ‘ચાંદની’માં તેમની વાર્તા છપાઇ હતી.
  • આકાશવાણી પર વાર્તા અને કાવ્યપઠનના કાર્યક્રમો આપ્યા છે.
  • ‘ઝાપટું’ નામની વાર્તાએ ચર્ચાનું ચગડોળ ચગાવેલું
  • ‘ગગન’ સાહિત્યિક માસિક 14 મહિના ચલાવેલું
  • સંગીત, નૃત્ય, ચિત્રકળા, પહેલાં ગાતા પણ હતા અને હાર્મોનિયમ પણ વગાડતા હતા 

એમના સાહિત્ય સર્જનો અને સન્માનો  

  • નક્ષત્ર – કાવ્યસંગ્રહ
  • સોનેરી માછલીનો સળવળાટ – વાર્તાસંગ્રહ
  • મનનાં મેઘધનુષ્ય, હૈયાં તરસે સરવર તીર, ઝુરાપો – ત્રણ નવલકથાઓ
  • સાક્ષાત્ – વિવેચન
  • ગોવર્ધનપ્રતિભા – સંપાદન
  • ધૂમકેતુ પારિતોષિક
  • ગુજરાત રાજ્યનું વાર્તાસંગ્રહ માટેનું પ્રથમ પરિતોષિક
  • સવિતા વાર્તા સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક

સાભાર : ગુજરાતી પ્રતિભા પરિચય

OP 14.12.20

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: