ગઝલ : રમેશ પારેખ Ramesh Parekh
‘ગઝલ(કાવ્યત્વ) અતિ છટકણી ચીજ છે. એની વ્યાખ્યા બાંધવાની હોય નહીં. ગઝલ એટલે કેવળ ‘પ્રિયતમા સાથેની વાતચીત ‘ એ વ્યાખ્યા અધૂરી છે. તેથી મને એ સ્વીકાર્ય નથી. એનો આવો સીમિત અર્થ હોઈ શકે જ નહીં. કાવ્યને વળી શરતો શાની? પ્રિયતમા એટલે કોઈ હાડમાંસની પૂતળી નહીં પણ વિશ્વપ્રિયા (અથવા ટોટલ મૅનકાઈન્ડ અને એની) સાથેનો સંવાદ એટલે ગઝલ, આવો સંકુલ અર્થ જ સ્વીકૃત હોઈ શકે. મુખ્યત્વે તો ગઝલના હિતચિંતકોએ જ ગઝલની અધૂરી -છીછરી વ્યાખ્યાઓ કરી છે અને ગઝલ વિશે વધુમાં વધુ ગેરસમજો ફેલાવી છે. – રમેશ પારેખ
સાભાર : ‘સદાબહાર કવિ : રમેશ પારેખ’ સં. રાજેન્દ્ર દવે
મૂળ પોસ્ટીંગ તા. 12.8.2021
વાહ ખૂબ સરસ
‘કાવ્યવિશ્વ’ ખૂબ સરસ અને ઉપયોગી સાહિત્ય પીરસે છે. એમાં લતાબેનની અથાગ મહેનત દેખાઈ આવે છે. ગુજરાતી સાહિત્યની આ ઉત્કૃષ્ટ સેવા થઇ રહી છે. મારા ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.
આપનો આભાર હરજીવનભાઈ.
વાહ
ગઝલ વિશે સરસ ઉપયોગી વાત
ર. પા. ને વંદન
લતાદીદીનો આભાર
આનંદ પરબતભાઈ