Category: સર્જક

બળવંતરાય ઠાકોર

કવિએ કવિતા પ્રત્યે અખંડ નિષ્ઠા અને જાગૃતિ બતાવી છે, જેમાંથી એમણે પોતાની જાતનેય બાકાત નથી રાખી.
www.kavyavishva.com

જયંત પાઠક ~ દક્ષા વ્યાસ

પૂર્વ-પશ્ચિમની પ્રશિષ્ટ કવિતાથી સંસ્કારાયેલી અને પૂરોકાલીન – સમકાલીન ગુજરાતી કવિતાથી યત્કિંચિત પ્રભાવિત જણાતી કવિ જયંત પાઠકની કાવ્યયાત્રા છ દાયકા સુધી એકધારી વિજય પંથે ચાલતી રહી છે. ‘મર્મ’ અને ‘સંકેત’ની કવિતા એ ઘડતરકાળની, સમયની સાથે રહેવાની કોશિશ કરતી કવિતા જણાય છે. તથાપિ...

ખલીલ ધનતેજવી : સ્મરણયાત્રા

ખલીલ ધનતેજવી : સ્મરણ યાત્રા ~ રઈશ મણિયાર કવિ ખલીલ ધનતેજવીને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે ત્યારે વાંચીએ આ લેખ. (1..2.22)  ખલીલ શબ્દનો અર્થ ‘સાચો દોસ્ત’ થાય એની ઘણા ગુજરાતીઓને ખબર નહીં હોય પણ એનો સહેજે વાંધો નથી, કેમ કે...

જયંત મેઘાણી ~ સુભાષ ભટ્ટ

શ્રી જયંતભાઈએ દેહમાંથી વિદાય લીધી અને મન સૂનું પડી ગયું હતું. ‘હું છેલ્લે ક્યારે એમને મળી? – ના જવાબમાં પાર વગરનો વસવસો રહેતો. અનેક લોકોએ એમના માટે લખ્યું છે અને મારી પાસે એમના સ્મરણો ખરાં પણ લખવા માટે પૂરતાં થઈ...

રમેશ પારેખ ~ વર્ષા પ્રજાપતિ Ramesh Parekh

ગુજરાતી સાહિત્યના ઉત્તમ અને નોંધપાત્ર કવિ સર્જકોમાં કવિ રમેશ પારેખનું પ્રદાન મૂલ્યવાન અને અન્યથી વિશિષ્ટ રહ્યું છે. અનુગાંધીયુગ, આધુનિક યુગના પ્રવાહમાં જન્મેલા અને સર્જકતાથી સ્થાપિત થયેલા કવિ રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. ‘ચીંધ આખું વિશ્વ તું એને રમેશ, જેને...

નરસિંહ મહેતા

જેહના ભાગમાં જે સામે જે લખ્યું તેહને તે સમે તે જ પહોંચે  ….  કે પછી ‘જે ગમે જગત્ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો…   નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, એક હું એક હું તે જ બોલે….  નરસિંહ મહેતાને આપણે...

મનસુખલાલ ઝવેરી ~ ડો. દક્ષા વ્યાસ

મનસુખલાલ ઝવેરી : પ્રશિષ્ટ કાવ્ય નિર્માણ – ડો. દક્ષા વ્યાસ    મનસુખલાલ અને બેટાઈમાં જાણે પંડિતયુગનું અનુસંધાન જળવાયું હોય એવું લાગવાનું. ઉભય શિષ્ટ પ્રણાલિકાની સંયમશોભન કવિતાના સ્વસ્થ પ્રકૃતિના સર્જક છે. મનસુખલાલ ઝવેરી પાસે જે નોંધપાત્ર સર્જન મળ્યું છે તે પ્રશિષ્ટ  શૈલીના ‘ચંદ્રદૂત’ તથા...

કવિ કાન્ત ~ કુમાર જૈમિની શાસ્ત્રી

કવિ-વિવેચક નિરંજન ભગતે નોંધ્યું છે : ‘બે કાન્ત છે, એક કવિ કલાકાર કાન્ત અને બીજા ખ્રિસ્તી સ્વીડનબોર્ગી કાન્ત.’ કવિ સુન્દરમ્‌ની જેમ કાન્તનું ચિત્ત પણ પ્રણય અને ધર્મ વચ્ચે દ્વિધા અનુભવે છે. ભૃગુરાય અંજારિયા 1897 પહેલાંના અને એ પછીના કાન્ત’ (એજન)...

કવિ કાગ ~ અરવિંદ બારોટ

સાદી, સરળ અને જીવનલક્ષી કવિતા જ ચિરંજીવી નીવડી શકે છે. એટલે જ કાગબાપુની વાણી જનજનને સ્પર્શે છે. કોઈ એવી રાત નહીં હોય કે કાગવાણી ક્યાંક ને ક્યાંક ગૂંજતી નહીં હોય. કવિ કાગની વાણી ભીતરની ભેખડ ભેદીને પ્રગટેલી સરવાણી છે. નક્કર...

બરકત વિરાણી ‘બેફામ’ ~ પ્રતાપસિંહ ડાભી

ગઝલક્ષેત્રે અનુબાલ-કલાપી યુગમાં નરસિંહરાવ દિવેટીયા જેવા કડક વિવેચકના મુખેથી નીકળેલા આકરાં વેણનાં દંડથી ચુસ્તી તરફ આગળ વધેલી ગઝલે શયદાયુગના ઉત્તરભાગે જાણે કે એક મોટી ક્રાંતિ આણી. એમાં પણ ૧૯૪૩ માં શરૂ થયેલા  ‘મહાગુજરાત ગઝલ મંડળ’એ મુશાયરાઓના વ્યાપક ધમધમાટ થકી ગુજરાતના...

પુરુરાજ જોશી

કવિ પુરુરાજ જોશી જન્મ : 14  ડિસેમ્બર 1938, નડિયાદ માતા – સૂરજબા; પિતા- પૂનમભાઇ પત્ની – બકુલા ( લગ્ન – 1966, હિન્દીનાં અધ્યાપિકા) અવસાન : 12.12.2020 પ્રારંભમાં શિક્ષક અને ગુજરાત રાજ્યના માહિતીખાતામાં ઉપતંત્રી   1970-75  મહુધા/ બાલાશિનોરની કોલેજમાં અધ્યાપક 1975થી – સાવલી કોલેજમાં અધ્યાપક હતા અભ્યાસકાળ દરમિયાન મુન્શી...

હરિવંશરાય બચ્ચન

પંડિત આનંદશંકર ધ્રુવ કહે છે, ‘કવિ આર્ષદૃષ્ટા છે, મંત્રદૃષ્ટા છે.’ ભલે આવા કવિઓ જૂજ હોય તો પણ સારા કવિઓમાં આ લક્ષણ ક્યારેક ક્યારેક પ્રગટતું રહેતું હોય છે. ક્યારેક ક્યારેક એની વાણીમાં સરસ્વતીદેવી પ્રગટતી હોય છે. ક્યારેક એ એવું સર્જન રજૂ...

પરવીન શાકીર ~ અશોક ચાવડા

કરાંચીમાં જન્મેલા શાયર પરવીન શાકિરનું માત્ર પાકિસ્તાનનાં ઇતિહાસમાં જ નહીં, પણ આધુનિક ઉર્દૂ સાહિત્યમાં મોખરાનું સ્થાન છે. પરવીન શાકિરનો સાહિત્ય-પ્રવેશ નિબંધલેખનથી થયો જે આગળ જતાં કવિતા અને કટારલેખન સુધી વિસ્તર્યો. શરૂઆતના ગાળામાં પરવીન શાકિર ‘બીના’ ઉપનામથી લખતાં. અહમદ નદીમ કાઝમી...

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’ જન્મ : 26 જાન્યુઆરી 1874, લાઠી અવસાન : 9 જૂન 1900, લાઠી પરિચય : લાઠી, ગોહિલવાડ, સૌરાષ્ટ્રના રાજવી સર્જન : એમની સમગ્ર રચનાઓનો સંગ્રહ ‘કલાપીનો કેકારવ’નું કવિ કાન્તના હસ્તે મરણોત્તર પ્રકાશન થયું. એ પછી એમાંથી પસંદ કરેલા કાવ્યોનાં અનેક સંપાદનો પણ થયાં છે. કલાપીએ વર્ડઝવર્થ, શેલી, કીટ્સ વગેરેના કેટલાંક કાવ્યોનાં ભાવવાહી રૂપાંતરો...

પ્રવીણ દરજી

પદ્મશ્રી ડો. પ્રવીણ દરજી  કાવ્યલેખનની શરૂઆત મારા કાવ્યલેખનની શરૂઆત તો છેક સાતમા ધોરણથી થયેલી. પ્રેરણાસ્રોત રૂપે મારું નાનેરું ગામ, તેમાં સારી-નરસી ઘટતી ઘટનાઓ અને પ્રાકૃતિક વાતાવરણ નિમિત્તરૂપે. માતા-પિતાની સંવેદનશીલતા મને મળી એ પણ એટલી જ કારણભૂત છે. મારી ક્રિયા-પ્રતિક્રિયાઓ પણ...